આજનું ભવિષ્ય

રસોઈઘર ભૂલથી પર ગંદુ ન રાખતા, ગ્રહની માઠી અસર થશે

ધર્મ ડેસ્કઃ ઘરની સાફ-સફાઈ નિયમિત કરવી અનિવાર્ય છે. જે ઘરમાં હંમેશા ગંદકી રહે છે ત્યાં ગ્રહની માઠી દશા શરૂ થાય છે. માત્ર ગંદકીના કારણે નહીં પણ એનર્જી પણ અહીં અસર કરે છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પોઝિટિવ એનર્જીનો અહેસાસ થાય છે. જ્યાં ગંદકી હોય છે ત્યાં નેગેટિવ એનર્જી વધે છે. આવા ઘરમાં ઘર્ષણ થવાના ચાન્સ વધે છે. ક્લેશ વધે છે. ઘરની સાફ સફાઈ વાસ્તુશાસ્ત્રના હિસાબથી કરવી જોઈએ.

રસોઈ ઘર સ્વચ્છ રાખવું જોઈએ

રસોઈ ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ખાસ કરીને રસોઈ બનાવતી વખતે ઘણીવાર રસોડું ગંદુ થતું હોય છે. રસોઈ કરતી વખતે થોડું થોડું સાફ રાખવામાં આવે તો ફાયદો થાય છે. સમયાંતરે રસોડાના બીજા કેટલાક ખાનાઓ પણ સાફ કરવા જરૂરી છે. રસોઈઘર સ્વચ્છ હોય તો અનેક પ્રકારના લાભ થાય છે. રસોડું સ્વચ્છ હોય તો ઘરના પરિવારોનું આરોગ્ય સ્વસ્થ રહે છે. ઘરમાં ધન ધાન્યની કમી થતી નથી. રસોડું સ્વચ્છ હશે તો ઘરમાં પૈસાનો ફ્લો અટકશે નહીં.

મંગળ ગ્રહ શાંત રહે છે

રસોડું સ્વચ્છ રહે તો મંગળ ગ્રહ શાંત રહે છે. મંગળ જ્યારે શાંત રહે ત્યાં અનેક રીતે જીવનમાં ફાયદો થાય છે. મંગળ શાંત રહે તો ઘરમાં લક્ષ્મી અને વૈભવ આવે છે. ઘરમાં પરિવારજનોનો આત્મવિશ્વાસ ઘટવા લાગે છે. જીવનમાં પ્રગતિ માટે મંગળ ગ્રહ મજબૂત અને શાંત રહે એ અનિવાર્ય છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

NRI આજનું ભવિષ્ય યુટિલિટી મનોરંજનનો લલકાર

ઊડતા પ્લેનના દરવાજા પર લટકી યુટ્યૂબર, VIDEO

પેરાશૂટે ફક્ત બે હાથથી પકડી રાખ્યો દરવાજો; ટોમ ક્રૂઝનો ખતરનાક સ્ટંટ કર્યો રિક્રિએટ, ઇન્ટરનેટ સ્તબ્ધ
NRI આજનું ભવિષ્ય યુટિલિટી

100 કરોડની સરકારી જમીન 15 કરોડમાં વેચવાનો પ્લાન ઘડ્યો

મહેસૂલ વિભાગ સહિત અન્ય કચેરીના ખોટા સહી-સિક્કા સાથે ડોક્યુમેન્ટ બનાવ્યા, સુરતમાં વેપારીના 12 કરોડ ખંખેર્યા
Translate »