સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર

ધ્રાંગધ્રાઃ ત્રણ દિવસથી મૃતદેહ ન મળતા આખરે NDRF એ ચોથા દિવસે શરૂ કરી શોધખોળ

Surendranagar Canal

ધ્રાંગધ્રાઃ ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાંથી પસાર થતી કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ કરવામાં આવી હતી. ચોથા દિવસે એનડીઆરએફની ટીમે કમાન ધ્રાંગધ્રાના જસમતપુર કેનાલમાં ઝંપલાવનાર પિતા-પુત્રની શોધખોળ કરી છે. કેનાલના સાયફનમાં મૃતદેહ ફસાયા હોવાની પુત્રના મૃતદેહના શોધખોળની ત્રણ દિવસની નિષ્ફળ થતાં તપાસ એક દિવસ લંબાવી દેવામાં આવી હતી. મહેશભાઈ દાદરેચા (ઠાકોર)એ પોતાના 09 વર્ષના પુત્ર દેવરાજ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું.

ફાયરની ટીમ સાથે NDRF પણ જોડાઈ

ફાયર ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી ભારે શોધખોળ કરી હતી. એ પછી ફાયર ટીમ સાથે NDRFની ટીમ જોડાઈ હતી. નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી અટકાવવા અંગે વાત કરવામાં આવી હતી. વિભાગે પણ ત્રણ દિવસ સુધી આવક બંધ કરવા છતાં પિતા-પુત્રનો કોઈ રીતે મૃતદેહ મળ્યો ન હતો. મૃતદેહ કેનાલના સાયફનમાં ફસાયો હોવાની વાત લોકોમાં ચર્ચામાં છે. આખરે, ત્રણ દિવસ બાદ પણ સફળતા ન મળતા એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ) આવી પહોંચી હતી. એનડીઆરએફની ટીમ દ્વારા હવે મૃતદેહોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરિવારજનો અને ગ્રામજનો છેલ્લા ચાર દિવસથી પ્રયત્નશીલ છે, પરંતુ સફળતા ન મળતા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »