1 માર્ચ 2026ના રોજ “આંગન 2.0 યાદેં નવોદય કી” કાર્યક્રમનું ભવ્ય અને ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જવાહર નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સેવા સંસ્થા AAN Gujaratના સફળ નેતૃત્વ હેઠળ સંપન્ન થયું હતું.એક ઉત્કૃષ્ટ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ દ્વારા AAN Gujaratની સ્થાપના, અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યો તથા ભવિષ્યની યોજનાઓનો પ્રેરણાદાયક પરિચય રજૂ કરવામાં આવ્યો, જેણે ઉપસ્થિત સૌ કોઈનું હૃદય જીતી લીધું.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો
આ કાર્યક્રમનો પ્રારંભ નવોદય પ્રાર્થનાથી થયો, ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો, નૃત્ય અને સ્તુતિઓએ વાતાવરણને ભાવનાત્મક અને ઉલ્લાસપૂર્ણ બનાવી દીધું હતું આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે નવોદય વિદ્યાલય સમિતિ, અમદાવાદ પ્રાંતના ઉપાયુક્ત પ્રેમ કુમારજીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી.સાથે જ હરદયાલ મીણા (આચાર્ય, જ.ન.વિ. પાટણ), આર. કે. દીક્ષિત (આચાર્ય, જ.ન.વિ. અમદાવાદ), શ્રી સંજય કુમાર (મંડળ નિર્દેશક, NCDC) તથા લેફ્ટિનેન્ટ કર્નલ વી. કે. પાંડેય (અમદાવાદ છાવણી) ની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી.નવોદય વિદ્યાલયના અનેક શિક્ષક-શિક્ષિકાઓ તથા વિવિધ સરકારી પદો પર કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત ગુજરાત તથા ભારતના વિવિધ રાજ્યોમાંથી 1400 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની સહભાગિતાથી આ આયોજનને યાદગાર બનાવી દીધું હતું.
વિદેશમાં વસતા વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમને બિરદાવ્યો
વર્ષ 1996ની બેચથી લઈને 2025 ની બેચ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના વિદ્યાલયના દિવસોની યાદોને તાજી કરી તથા જૂના મિત્રો સાથે પુનર્મિલનની મધુર ક્ષણો વહેંચી. રાજસ્થાન, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી પધારેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ગુજરાતના વરિષ્ઠ સાથીઓને “GEM of Navodaya” તથા “Navodaya Guiding Star” સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.કાર્યક્રમનું સીધું પ્રસારણ AAN Gujaratના યૂટ્યૂબ ચેનલ પર પણ કરવામાં આવ્યું હતું.જેના દ્વારા દેશ-વિદેશમાં વસતા નવોદય પરિવારના સભ્યોએ સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો.