બગદાણા બબાલમાં હવે એક નવો વળાંક આવ્યો છે.સુરતનો કોળી સમાજ નવનતી બાલધિયાના સમર્થનમાં ઊતર્યો છે. સુરતથી 100 ગાડીઓના કાફલામાં કોળી સમાજ ભાવનગર પહોંચ્યો છે.કોળી સમાજના આગેવાનો ઋષિભારતી બાપુ સાથે ભાવનગર આવ્યા છે. બગદાણાની બબાલમાં હવે સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.
નવનીતભાઈ માટે હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં
આ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ઘણાય લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. આ કોળી સમાજની એવી માગ છે કે આ કેસના મુખ્ય આરોપીનું નામ પોલીસ ફરિયાદમાં લેવામાં આવે. આ મુદ્દે ઋષિ ભારતી બાપુએ પણ પોતાની સ્પષ્ટતા કરી દીધી છે. નવનીતભાઈ માટે હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે ત્યારે સીટના રીપોર્ટમાં પોલીસ શું જાહેર કરે છે એના પર સૌની નજર છે. કોળી સમાજના આગેવાનો હવે લડી લેવાના મૂડમાં છે.
સમાજને ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે
ભાવનગર નારી ચોકડી ખાતે 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ ઝાલા અને પિન્ટુભાઈ કોળી, સહિત ઋષિભારતી બાપુ પણ પહોંચ્યા હતાં. તેઓ નારી ચોકડીથી મહુવા હોસ્પિટલ ખાતે નવનીતભાઈની મુલાકાતે પહોંચ્યા હતાં. નવનીત બાલધિયા કેસમાં પોલીસ દ્વારા સીટ ની રચના કરવામાં આવી છે. સીટ દ્વારા તમામ પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ એફ આઈ આરમાં ઉમેરવામાં આવે. ઋષિભારતી બાપુએ આકરા પ્રહારો કરીને કહ્યું હતું કે, સમાજને ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે