ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ચર્ચાનો માહોલ ગરમાયો હતો. તેમના નિવેદન બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી દલીલો અને રાજકીય ટિપ્પણીઓનો માહોલ જોવા મળ્યો.ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં બોલતા જણાવ્યું કે તેઓ માત્ર ‘8 પાસ’ નથી, પરંતુ BA-LLB સુધીનું શિક્ષણ લીધેલું છે. તેમણે કહ્યું કે ભણતર હોવાના કારણે તેઓ પોતાને સમજદાર માને છે, પરંતુ કોઈને નાનો બતાવીને પોતાને મોટું સાબિત કરવાની તેમની મનશા નથી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી
આ નિવેદન બાદ ગૃહમાં ચર્ચા વધુ ઉગ્ર બની હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે કોઈએ કદાચ ઓછી ચોપડીઓ વાંચી હોય, પરંતુ અહીં કોઈને જૂતું ફેંકવાનું શીખવવામાં આવતું નથી. આ બંને નિવેદનો બાદ ગૃહમાં થોડો સમય સુધી રાજકીય તણાવપૂર્ણ માહોલ રહ્યો હતો અને સભ્યો વચ્ચે વાદ-વિવાદ પણ વધ્યો હતો.