નવી દિલ્હીઃ નવું વર્ષ 2026 શરૂ થઈ ચૂક્યું છે. વર્ષના પ્રથમ દિવસે આર્થિક રીતે ફટકો પડે એવા સમાચાર સામે આવ્યા છે. LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ નિર્ણય કર્યો છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચન્નેઈ જેવા શહેરોમાં આ ભાવ વધારો નવા વર્ષના પ્રથમ દિવસથી લાગુ થઈ જશે. 1 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર આ વધારો લાગુ પડશે અને પ્રતિ સિલિન્ડર ₹111 નો વધારો કરવામાં આવ્યો છે. 14 કિલો ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી.

મહાનગરમાં સિલિન્ડરના ભાવ
દિલ્હીમાં 19 કિલોગ્રામનો કોમર્શિયલ સિલિન્ડર જેની કિંમત પહેલા ₹1580.50 હતી, તે હવે ₹1691.50 માં ઉપલબ્ધ થશે. કોલકાતામાં, તેની કિંમત ₹1684 થી વધારીને ₹1795 કરવામાં આવી છે. વધુમાં, મુંબઈમાં, જે LPG સિલિન્ડરની કિંમત પહેલા ₹1531.50 હતી તેની કિંમત હવે ₹1642.50 છે, અને ચેન્નાઈમાં, તેની કિંમત ₹1739.50 થી વધારીને ₹1849.50 કરવામાં આવી છે. અગાઉ, વર્ષના છેલ્લા મહિનાની 1 ડિસેમ્બરે, 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બર, 2025 થી દેશભરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હી અને કોલકાતામાં આ ઘટાડો 10 રૂપિયા હતો, જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 11 રૂપિયા હતો.

ડિસેમ્બરના ભાવ
ડિસેમ્બર 2025 માં જ નહીં, પરંતુ પહેલી નવેમ્બરના રોજ પણ, બધા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ભાવ ઘટાડાનો આ સતત બીજો મહિનો છે. જોકે, 1 નવેમ્બરના રોજ, દિલ્હીમાં 19 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ ₹1595.50 થી ઘટાડીને ₹1590, કોલકાતામાં ₹1700.50 થી ઘટાડીને ₹1694, મુંબઈમાં ₹1547 થી ઘટાડીને ₹1542 અને ચેન્નાઈમાં ₹1754.50 થી ઘટાડીને ₹1750 કરવામાં આવ્યો હતો. જ્યારે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર કરવામાં આવ્યા છે, ક્યારેક ભાવમાં વધારો થયો છે અને ક્યારેક ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવ એપ્રિલના સમાન સ્તરે યથાવત રહ્યા છે. 1 ડિસેમ્બરના રોજ 14 કિલોગ્રામના LPG સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 853 રૂપિયા, કોલકાતામાં 879 રૂપિયા, મુંબઈમાં 852 રૂપિયા અને ચેન્નાઈમાં 868 રૂપિયા છે.
ગુજરાતમાં GSRTC બસના ટિકિટદર વધ્યા
રાજ્ય પરિવહન નિગમની જુદા જુદા રૂટ પર દોડતી ST બસની ટિકિટના ભાવમાં 3 ટકાનો વધારો લાગુ કરવામાં આવ્યા છે. 9 મહિનામાં બીજીવાર આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી અસર એસટી બસનો ઉપયોગ કરતા 27 લાખ જેટલા મુસાફરો પર પડશે. જોકે, 9 કિમીના વિસ્તારમાં દોડતી કોઈ બસમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી.