બગદાણાના હાઈ-પ્રોફાઈલ મારામારી કેસ બાદ સતત સમાચારોમાં રહેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ આજે વિધિવત રીતે કેસરીયો છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો છે. ૩ એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. અત્યાર સુધી એવી અટકળો હતી કે સોલંકી બંધુઓની મદદ બાદ તેઓ ભાજપમાં જશે, પરંતુ તમામ તર્ક-વિતર્કોનો અંત લાવી નવનીત બાલધિયાએ કોળી સમાજના અનેક આગેવાનો સાથે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમણે પ્રદેશ પ્રમુખ સમક્ષ આગામી સમયમાં ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે, જે Gujarat Politics News માં નવો વળાંક લાવી શકે છે.
ભાજપના ત્રાસ અને ન્યાયના અભાવનો આક્ષેપ કરી ધારણ કર્યો ખેસ
કોંગ્રેસમાં જોડાયા બાદ નવનીત બાલધિયાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભાજપના શાસનમાં થયેલા અન્યાય અને અત્યાચારથી કંટાળીને તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે વર્તમાન સિસ્ટમમાં જે લોકો રસ્તા પર ઉતરે છે તેમને જ ન્યાય મળે છે, બાકીના લોકો લાચાર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલ ચૂંટણી લડવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ જો તેમનો કોળી સમાજ આદેશ આપશે તો તેઓ મેદાનમાં ઉતરવા પણ તૈયાર છે. આ Navneet Baldhiya Congress Entry બાદ ભાવનગર અને આસપાસના પંથકમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
બગદાણા હુમલો અને કોળી સમાજની એકતાનું પરિણામ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે ગંભીર આક્ષેપો થયા હતા. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એકઠો થયો હતો અને સરકારને SIT Investigation ની રચના કરવાની ફરજ પાડી હતી. ન્યાય માટે ગાંધીનગર સુધી થયેલી આ લડત બાદ નવનીત બાલધિયા હવે રાજકીય રીતે સક્રિય થતા સ્થાનિક સમીકરણો બદલાયા છે. લલકાર ન્યૂઝ આ બદલાતા રાજકીય પ્રવાહ પર સતત નજર રાખી રહ્યું છે.