ગુજરાતનો લલકાર

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા

somnath Mahadev kartik poonam fair

Gir Somnath: સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ સોમનાથદાદાના દર્શન કરીને મેળામાં ભાગ લીધો હતો. સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળો-2025’નો ભવ્ય પ્રારંભ થયો હતો.આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મેળો 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનો લાભ લઈ શકાશે. જુનાગઢ રેન્જના આઈ.જી.પી નિલેશકુમાર ઝાઝડિયાના શુભહસ્તે મેળાનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયાના સ્ટોલ

આ મેળામાં દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે.200થી વધુ વિવિધ ફૂડ સ્ટોલ્સ અને સ્વાદિષ્ટ વાનગીઓ તેમજ જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયાના સ્ટોલ ઊભા કરાયા છે. દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધર્મ અને શાસ્ત્રોના કિસ્સાઓની વાત કરવામાં આવે છે. જ્યારે પ્રથમ દિવસે લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ પોતાના લોકગીતો, ભજનો અને ભક્તિગીતોથી સમગ્ર શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા.દૂરદૂરથી આવેલા ભક્તો સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓએ પણ સોમનાથ મંદિરના અધિકૃત ફેસબુક અને યુટ્યૂબ દ્વારા લાઈવ પ્રસારણનો લાભ લીધો હતો.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »