Bhavnagar News: કોળી સમાજની ન્યાય સભાના બેનરો ફાડનારા બે શખ્સોની ધરપકડ
ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરને જેલ ભેગો કરાયો છે. આ કેસમાં હવે આગામી પહેલી તારીખે કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા માટે લગાવેલા પોસ્ટર ફાડવાનો મામલો સામે આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે આ પોસ્ટરો ઉખાડી નાંખવામાં આવ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. […]







