Surat News: શહેરમાં ઉત્તરાયણના દિવસે BRTS કોરિડોર બંધ રખાશે, અકસ્માત અટકાવવા નિર્ણય
ગુજરાતમાં આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર ઉજવાશે. લોકો વહેલી સવારથી જ ધાબા પર જઈને પતંગ ઉડાવશે. ત્યારે પતંગની દોરીને કારણે વાહન ચાલકો અને પશુ પંખીઓને ઈજાઓ થતી હોવાના અનેક દાખલા સામે આવતા હોય છે. પશુઓ અને પક્ષીઓ માટે ઠેર ઠેર કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે વાહન અકસ્માતોને રોકવા સુરત શહેરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. […]
