Surat News: સમાજમાં ચાપલૂસીના રાજકારણની જરૂર નથી, પાટીદાર સમાજ માટે કે.કે. પટેલના પ્રહાર
સુરતઃ પાટીદાર સમાજમાં રીત-રિવાજોને નિયંત્રિત કરવા માટે મથુરભાઈ સવાણી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘બંધારણ’ અભિયાનને લઈને સમાજમાં બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઈ સવાણી જ્યારે જનજાગૃતિ દ્વારા નવા બંધારણની વકીલાત કરી રહ્યા છે, ત્યારે પાટીદાર અગ્રણી કે. કે. પટેલે આ બાબતે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તેને ‘ચાપલૂસીનું રાજકારણ’ ગણાવ્યું છે. […]
